Education Guru

ભારતનું બંધારણ

 

📖 ભારતનું બંધારણ 📖


👉🏿 બંધારણ ધડવાનો સૌપ્રથમ વિચાર સર એમ.એન.રોય (માનવેન્દ્રનાથ રોય) ને આવ્યો હતો.





👉🏿 ભારતનું બંધારણ 22 ભાગ(આર્ટિકલ્સ)માં વહેંચાયેલું છે.


👉🏿 બંધારણમાં 12 પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે. (મૂળ બંધારણમાં 8 અને પાછળથી 4 જોડાયેલ છે.)


👉🏿 મૂળ બંધારણમાં 395 અનુચ્છેદો છે.(હાલના બંધારણમાં 446 અનુચ્છેદો છે.)


👉🏿 બંધારણ ઘડવાની શરૂઆત (બંધારણ સભાની રચના) કેબિનેટ મિશન યોજના હેઠળ જુલાઇ-1946 માં થઇ હતી.


👉🏿 બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા.(જેમાં 296 સભ્યો બ્રિટીશ હિંદના અને 93 સભ્યો દેશી રાજ્યોના હતા.)


👉🏿 બંધારણ સભામાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા.


👉🏿 બંધારણ સભામાં એંગ્લો-ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે ફેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચ.પી.મોદી હતા.


👉🏿 બંધારણ સભાના કામચલાઉ (અસ્થાયી અથવા કાર્યકારી) પ્રમુખ ડૉ. સચ્ચિદાનંદ સિંહા હતા.


👉🏿 બંધારણ સભાના પ્રમુખ (ચૂંટાયેલા અધ્યક્ષ) ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.(જે પાછળથી ભારતના પ્રથમ રાષ્ટપતિ બન્યા હતા.)


👉🏿 બંધારણની ખરડા સમિતિ (મુસદ્દા સમિતિ અથવા ડ્રાફટિંગ સમિતિ) ના અધ્યક્ષ(ચેરમેન) ડૉ. ભીમરાવ આંબેડકર હતા. (જે પાછળથી ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા.)


👉🏿 ખરડા સમિતિમાં સાત સભ્યો હતા.

1. એન. ગોપાલસ્વામિ આયંગર 2. અલ્લાદી કૃષ્ણ સ્વામિ ઐયર

3. ટી.ટી. કૃષ્ણમાચારી

4. કનૈયાલાલ મુનશી 

5. સૈયદ મુહમ્મદ સાદુલ્લા 

6. ટી. માધવરાય


👆🏿 આ છ જણનો સભ્ય તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ કરેલ હતો.


👉🏿 બંધારણ ધડવાની શરૂઆત 9 ડિસેમ્બર,1946 માં થઇ.(આ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક ડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે મળી હતી.)


👉🏿 બંધારણ ઘડવામાં (પૂરૂ કરવામાં) લાગેલો સમય- 2 વર્ષ,11 માસ,18 દિવસ.


👉🏿 બંધારણ સભાની બેઠકો  166 દિવસ ચાલી.


👉🏿 ભારતીય બંધારણનો સ્વીકાર 26,નવેમ્બર,1949 ના રોજ થયો. ( આ દિવસે બંધારણ સભાએ બંધારણ પસાર કર્યું.)


👉🏿 ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટપતિ તરીકે ચૂંટાયા 24,જાન્યુઆરી,1950.


👉🏿 ભારતીય બંધારણનો અમલ- 26,જાન્યુઆરી,1950.(આ દિવસે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરાયું.)


👉🏿 ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.


♦ *ભારતના બંધારણની વિશેષતાઓ*


👉🏿 ભારતનું બંધારણ લેખિત હોવાથી તેને ‘દસ્તાવેજી બંધારણ’ કહે છે.


👉🏿 ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી વિસ્તૃત અને લાંબુ છે.


👉🏿 બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે.


👉🏿 પરિવર્તનશીલ બંધારણ છે.


👉🏿 સંઘાત્મક શાસન પ્રણાલિ છે.


👉🏿 બંધારણ ભારતને સાર્વભોમ,લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર કરે છે.


👉🏿 પુખ્ત મતાધિકારનો સ્વીકાર થયેલો છે. 18 વર્ષ કે તેથી ઉપરના દરેક વ્યક્તિને કોઇપણ ભેદભાવ (શિક્ષણ,જાતિ,ધર્મ,લિંગ કે આવકને ધ્યાને લિધા વિના) વિના મતાધિકાર આપેલ છે.


👉🏿 સત્તાના દરેક સ્થાનો પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ વહીવટ કરી શકે છે.


👉🏿 ભારતનું સર્વોચ્ચ સ્થાન રાષ્ટ્રપતિનું છે.આ પદ માટે પણ ચૂંટણી થાય છે.


👉🏿 દ્વિગૃહી ધારાસભા છે.


👉🏿 એકજ નાગરિકતાની જોગવાઇ છે.


👉🏿 સ્વતંત્ર ન્યાયપલિકાની વ્યવસ્થા.


👉🏿 ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે.બિનસાંપ્રદાયિક રાજ્ય એટલે સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખતું રાજ્ય.


👉🏿 બંધારણમાં મૂળભૂત હક્કો (અધિકારો) અને ફરજો દર્શાવેલી છે.


♦ *ભારતના બંધારણનું આમુખ*


👉🏿 બંધારણની શરૂઆત આમુખથી થાય છે.


👉🏿 આમુખ જવાહરલાલ નહેરૂએ લખ્યું હતું.


👉🏿આમુખ ઇ.સ 1973 થી બંધારણનો ભાગ બન્યું.


👉🏿 આમુખ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે.


👉🏿 આમુખને કોર્ટમાં પડકારી શકાતું નથી.


👉🏿 ઇ.સ 1976 માં  42 મો સુધારો થયો, જેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, (બિનસાંપ્રદાયિક), એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો આમુખમાં ઉમેરાયા.


👉🏿 ‘ કેશવાનંદ ભારતી’ કેસમાં હાઇકોર્ટે આમુખને બંધારણનો જ એક ભાગ ગણાવ્યો છે.


♦ *ભારતના બંધારણ  ના મહત્વની કલમો*


👉🏿 *ભાગ-1*

*(સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર)*

   

➖અનુચ્છેદ-01

ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે.


➖અનુચ્છેદ-02

નવાં રાજ્યો દાખલ કરવાં અથવા સ્થાપના કરવી.


➖અનુચ્છેદ-03

નવાં રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો,સીમાઓ કે નામોમાં ફેરફાર કરવા.


👉🏿 *ભાગ-2*

*(નાગરિકતા)*

અનુચ્છેદ- 05 થી 11 નાગરિકતા અંગે છે.


➖અનુચ્છેદ-05

સંવિધાનના પ્રારંભે જે ભારતમાં વસવાટ કરતા હોય અથવા ભારતમાં જન્મ્યા હોય કે જેના માતાપિતામાંથી કોઇ ભારતમાં જન્મેલા હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક કહેવાય છે.


➖અનુચ્છેદ-06

ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.


➖અનુચ્છેદ-07

પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.


👉🏿 *ભાગ-3*

*(મૂળભૂત હક્કો/અધિકારો)*

અનુચ્છેદ-12 થી 35 મૂળભૂત અધિકારો (હક્કો) અંગે ના છે.

બંધારણમાં સુધારાની પદ્ધતિ અને સુધારાઓ

 બંધારણમાં સુધારાની પદ્ધતિ અને સુધારાઓ


📖​ બંધારણમાં સુધારાની પદ્ધતિ 📖





💁🏻‍♂ ભારતીય બંધારણમાં કોઈપણ સુધારો કરવો હોય તો તે સુધારો કરવા માટેની ત્રણ પદ્ધતિ છે જે નીચે પ્રમાણે છે .


👉🏿 (1)સંસદમાં સામાન્ય બહુમતીથી એટલે કે 50 % થી વધુ માટે સુધારો .


👉🏿 (2)સંસદમાં સંસદસભ્યો દ્વારા 2/3 બહુમતી દ્વારા પરંતુ કુલ સંખ્યાના 50 % થી વધુ માટે સુધારો.


👉🏿 (3)સંસદમાં 2/3 બહુમતીથી અને સાથે રાજ્યમાં સાદી બહુમતી સુધારો.

➖બંધારણમાં અત્યાર સુધી લગભગ 96 જેટલા સુધારાઓ થયા છે , બંધારણમાં પ્રથમ સુધારો 1951 મા થયો હતો.


બંધારણમાં અત્યાર સુધી થયેલ સુધારાઓમાં સૌથી મહત્વપૂર્ણ સુધારો 1976 માં 42 માં સુધારો થયો હતો જેને મીની બંધારણ પણ કહે છે . 


♦ *બંધારણના મહત્વના સુધારાઓ*


👉🏿 પ્રથમ સુધારો (1951) : 

➖મૌલિક અધિકારોમાં સમાનતા , સ્વતંત્રતા , તથા સંપતિનો અધિકાર સમાજના હિતમાં જોડી દીધો . નાયાધીશોની નિયુક્તિ તથા તેની જગ્યાઓની અનામત અંગેની જોગવાઈ .


👉🏿 બીજો સુધારો (1953) : 

 ➖રાજ્યોને સંસદમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું.


👉🏿 સાતમો સધારો (1956) :

➖14 રાજ્યો તથા 6 કેન્દ્રશાષિત પ્રદેશોને રાજ્ય તરીકે માન્ય કર્યા.


👉🏿 આઠમો સુધારો (1960) :

 ➖અનુસુચિતજાતી અને જનજાતિ માટે અનામત બેઠકોની ફાળવણીનો સમય 10 વર્ષથી વધારીને 20 વર્ષ કરવામો આવ્યો .


👉🏿 દસમો સુધારો (1961) :

➖દાદરા તથા નાગર હવેલી વિસ્તાર ભારતનો બની ગયો.


👉🏿 બારમો સુધારા (1961) : 

➖ગોવા , દમણ અને દીવ ભારતમાં જોડાયા .


👉🏿 તેરમો સુધારો (1962) : 

➖નાગાલેન્ડ ભારતનું નવું રાજ્ય બનવાનો સુધારો.


👉🏿 ચોદમો સુધારો (1962) :

➖ફાનસના આધિપત્યનું પોંડીચેરી ભારતમાં જોડાઈ ગયું .જે અંગે સુધારો કર્યો .


👉🏿 પંદરમો સુધારો (1963) :

➖ઉચ્ય ન્યાયાલયના નાયાધીશની સેવા નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષથી વધારીને 62 વર્ષની કરવામાં આવી.


👉🏿 એકવીસમો સુધારો (1967) :  

➖બંધારણના આઠમાં પરિશિષ્ટ માં સિંધી ભાષાને ઉમેરવાઈ .


👉🏿 છવ્વીસમો સુધારો (1971) :  

➖ રાજાના સાલીયણા તથા વિશેષ અધિકારો બંધ કરી દીધા.


👉🏿 એક્ત્રીસમો સુધારો (1973) :

➖લોકસભાના સભ્યોની સંખ્યા 525 થી વધારીને 545 કરવામાં આવી.


👉🏿 છ્ત્રીશ્મો સુધારો (1975) : 

➖આ સુધારાથી સિક્કિમ ભારતનું 22 મું રાજ્ય બન્યું.


👉🏿 સાડાત્રીસ્મો સુધારો (1975 ) :

➖અરુણાચલ પ્રદેશને વિધાનસભાનો દરજ્જો અપાયો .


👉🏿 બેતાલીસમો સુધારો (1976) :

➖આ સુધારાથી બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરાયો . સમાજવાદી અને બિનસાંપ્રદાયિક નવા શબ્દો ઉમેરવામાં આવ્યા . રાજ્ય નીતીનિર્દેશક સિદ્ધોતો પર મહત્વ આપવામાં આવ્યું . મૂળભૂત અધિકારો પર નિયંત્રણ રાખવામાં આવ્યું . મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી . રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલી છે . રાષ્ટ્રપતિ કલમ 356 નીચે કોઈપણ રાજ્યમાં એક વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે , તે આ સુધારા દ્વારા ફેરફારો કરવામાં આવ્યો .


👉🏿 ચુમાલીસમો સુધારો (1978) :

➖મિલકતના અધિકારોને રદ કરવામાં આવ્યા . લોકસભા,વિધાનસભાનો સમયગાળો 6 વર્ષમાંથી 5 વર્ષનો આ સુધારાથી કરવામાં આવ્યો.


👉🏿 સુડતાલીસમો સુધારો (1984 ) :  

➖નવમાં પરીશીષ્ટમાં જમીન સુધારાને લગતા 14 કાયદાઓ ઉમેરવામાં આવ્યા .


👉🏿 બાવનમો સુધારો (1985) :

➖રાજકીય પક્ષમાં પક્ષોન્તર વિરોધી કાયદો લાવવામાં આવ્યો.


👉🏿 ત્રેપનમો સુધારા (1986) : 

➖આ સુધારાથી મિઝોરમ ભારતનું 24 મું રાજ્ય બન્યું.


👉🏿 ચોપનમો સુધારો (1986) : 

➖સુપ્રીમ કોર્ટના અને હાઇકોર્ટના ન્યાયાધીશોના પગારમાં વધારો કરવામાં આવ્યો .ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિને રૂ.10,000 માસિક હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશને રૂ.9000 માસિક તથા હાઇકોર્ટના નાયાધીશને રૂ.8000 માસિક પગાર આ સુધારાથી નક્કી થયો.


👉🏿 સત્તાવનમો સુધારો (1987) : 

 ➖આ સુધારાથી ગોવા ભારતનું પચ્ચીસમું રાજ્ય બન્યું.


👉🏿 એકસઠમો સુધારો ( 1989) :

➖આ સુધારા દ્વારા ચૂંટણી માટે મતદાતા માટે 21 વર્ષની ઉમરને બદલે 18 વર્ષની કરવામાં આવી. માતાધીકારનો હક 18 વર્ષે આપવામાં આવે છે.


👉🏿 બાસઠમો સુધારો (1989) :

➖લોકસભા અને વિધાનસભાઓમાં અનુસુચિતજાતિ અને અનુસુચીત જનજાતિ બેઠકોની અનામતની મુદત 10 વર્ષે વધારાઈ જે 2000 સુધી અમલમાં રહેશે.


👉🏿 છાસઠમો સુધારો (1990) :

➖બંધારણના નવમાં પરીશિષ્ટમાં 55 નવા જમીન સુધારણાના કાયદા ઉમેરવામાં આવ્યા.


👉🏿 ઓગણસીત્તેરમો સુધારો (1991) :

➖કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીનું નામ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર રાખવામાં આવ્યું તથા દિલ્હીમાં 70 સભ્યોવાળી વિધાનસભા રચવામાં આવશે , તેવી જોગવાઈ આ સુધારા દ્વારા કરવામાં આવી.


👉🏿 સીતેરમો સુધારો (1962) :

➖પોંડીચેરી તથા દિલ્હી વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં ભાગ લઇ શકે તેવો અધિકાર આપવામાં આવ્યો.


👉🏿 એકોતેરમાં સુધારો (1992) :

➖બંધારણના આઠમા પરીશિષ્ટમાં નેપાળી , મણિપુરી તથા કોકણી ભાષાઓ ઉમેરવામાં આવી.


👉🏿 તોતેરમો સુધારો (1992) : 

➖ગ્રામપંચાયતો, નગરપાલિકાઓ,તથા મહાનગરપાલિકાઓમાં 33 %  બેઠકો મહિલા માટે ઉમેરવામાં આવી .


👉🏿 ચુમોતેરમાં સુધારો (1992) :

➖પંચાયતીરાજ  સબંધી સુધારો .


👉🏿 પંચોતેરમો સુધારો (2002) :

➖ભાડુઆતો અને મકાન માલિકો વચ્ચે થતા ઝગડાનો ઉકેલ માટે અનુંછેદ 323 (b) ના ખંડ (૨) માં નવો ઉપખંડ જોડી ત્રિબ્યુંનલ ની રચના કરવામાં આવી અને ભાડુઆતો સબંધી  કેસો આ ત્રિબ્યુંનલમાં ચાલશે તેવી જોગવાઈ કરવામાં આવી.


👉🏿 પંચયાસીમો  સુધારો (2002) :  

➖બંધારણીય અનુંછેદ 16(4 A ) નો સંશોધિત 85 મો  બંધારણીય સુધારો વર્ષ 2002 માં પસાર કરવામાં આવ્યો આ સુધારા અનુસાર અનુસુચિત જાતી  અને અનુસુચિત જનજાતિના  સરકારી કર્મચારીઓને પ્રમોશનમાં પણ બેકલોગનો લાભ આપવામાં આવ્યો.


👉🏿 છ્યાસીમો સુધારો (2002) : 

➖આ સુધારા દ્વારા  પ્રાથમિક શિક્ષણને  મૂળભૂત અધિકારોમાં સ્થાન આપવામાં આવ્યું અને રાજ્ય સરકાર માટે  6 થી 14  વર્ષના બાળકને શિક્ષણ આપવું ફરજીયાત બનાવવામાં આવ્યુ. અને આ જ અધિકાર મૂળભૂત ફરજ રૂપે પણ મુંકવામાં  આવ્યો .  આમ મૂળભૂત ફરજો 10 માંથી વધી ગઈ ને 11 થઇ.


👉🏿 સીતયાસીમો સુધારો (૨૦૦૩) :  

➖આ સુધારા દ્વારા સર્વિસ ટેક્સ ઉઘરાવવાની અને આ ટેક્સ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેચવાની  જોગવાઈ અનુચ્છેદ 268 A ઉમેરીને કરવામાં આવી .


👉🏿 એકાણું મો સુધારો (૨૦૦૩) :

➖આ બંધારણીય સુધારા દ્વારા પક્ષ પલટાને સંપૂર્ણપણે પ્રતીબંધિત કરવામાં આવ્યો. આ પહેલા પક્ષના 1/3 સભ્યો એકસાથે બીજા પક્ષમાં જાય તો તેણે કાયદેસર બનવાની જોગવાઈ પક્ષ પલટા વિરોધી કાનૂનમાં હતી. પરંતુ આ સુધારા દ્વારા આ જોગવાઈ રદ કરવામાં આવી.


👉🏿 92 મો સુધારા (2003) : 

➖બોડો,ડોગરી,મૈથાલી અને સંથાલી ભાષાઓનો આઠમી અનુસૂચિમાં સમાવેશ.


👉🏿 93 મો સુધારા (2005) :

➖ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ માટે 27 % અનામત જોગવાઈ .


👉🏿 94 મો સુધારો  (2006) :  

➖ઝારખંડનું અલગ રાજ્ય રચાતા બિહારમાં અનુસુચિત જાનજાતીની વસતી ઘટતી જતાં S T ખાસ મંત્રીની જોગવાઈ બિહારમાંથી રદ કરી ઝારખંડ અને છ્ત્તીશઘઢ માટે કરવામાં આવી .


👉🏿 95મો સુધારો (2009) : 

➖SC અને ST  માટેની અનામત 70 વર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ (એટલે કે 25જાન્યુ,2020 સુધી)


👉🏿 96 મો સુધારો  (2011)  :

➖ઓરિસ્સા રાજ્યનું નામ બદલીને  ઓડિશા કરવામાં આવ્યું.

આપણા બંધારણીય અધિકારો

આપણા બંધારણીય અધિકારો

આપણો ભારત દેશ ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક અને સંસદીય પ્રણાલી ધરાવનાર દેશ છે. 




🇮🇳આપણા દેશમાં સંચાલન, દિશાનિર્દેશન તથા તમામ કાયદાઓનો સંગ્રહ કે જેને આપણે સર્વોચ્ચ કાયદો કહી શકીએ એ ભારતનું બંધારણ છે. 


🇮🇳દેશમાં બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં 26 નવેમ્બર 1949ના દિવસે પસાર થયું હતું અને 26 જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. 


🇮🇳આપણા આ જ સંવિધાને આપણને વિવિધ મૂળભૂત હકો આપ્યા છે જેને બંધારણીય માન્યતા હોવાથી એ સર્વોપરી છે અને દરેક ભારતીયને લાગુ પડે છે. 

🇮આપણે સ્વતંત્ર પણે રહી શકીએ છીએ, 💠♻️દરેકને સમાન તક મળે છે, ♻️💠દરેક વ્યક્તિને પોતાની વાત રાખવાનો અધિકાર છે, ♻️💠કોઈ વ્યક્તિનું શોષણ થતું હોત તો તેની સામે પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર વગેરે બાબતો આપણા બંધારણમાં આપણા મૂળભૂત અધિકાર તરીકે સમાવિષ્ઠ છે.

આમુખમાં થયેલા સુધારાઓ

♻️💠✅ બંધારણના પ્રારંભે મૂળભૂત અધિકારોની સંખ્યા 7 હતી. ✅અનુછેદ 31 કે જેમાં મિલકત ધરાવવાનો અધિકાર હતો તેને 44માં બંધારણીય સુધારા દ્વારા 1978થી રદ કરવામાં આવ્યો અને તેને કાનૂની અધિકારમાં સમાવવામાં આવ્યો. હાલમાં 6 મૂળભૂત અધિકારો છે.

🙏🙏 મિત્રો, આજે આપણે આપણા બંધારણીય અધિકારો/હકો વિષે પરિચય મેળવીએ....

🔘ભારતના બંધારણના મૂળભુત અધિકારો (ભાગ 3, અનુચ્છેદ 12-35)


👉1. સમાનતાનો અધિકાર (અનુચ્છેદ 14-18)

👉2. સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 19-22)

👉3. શોષણ વિરોધી અધિકાર (અનુચ્છેદ 23-24)

👉4. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 25-28)

👉5. સાંસ્કૃતીક અને શૈક્ષણીક અધિકારો (અનુચ્છેદ 29-30)

👉6. બંધારણીય ઈલાજનો અધિકાર (અનુચ્છેદ 32)

બંધારણમાં સુધારાની પદ્ધતિ

🎯સમાનતાનો અધિકાર/હક (અનુચ્છેદ 14 થી 18) ​​🎯


👉અનુચ્છેદ 14 : કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણનો અધિકાર

👉અનુચ્છેદ 15 : સામાજીક સમાનતા અને જાહેર સ્થળો પર સમાનતા

👉અનુચ્છેદ 16 : જે મુજબ બંધારણમાં જણાવ્યું છે કે સરકારી નોકરીઓમાં સૌને સમાન તક અને પછાત વર્ગો માટે અનામતની વ્યવસ્થા

👉અનુચ્છેદ 17 : અસ્પૃશ્યતા નિવારણ

👉અનુચ્છેદ 18 : ખિતાબોની નાબૂદી ( "રાય બહાદુર" અને "ખાન બહાદુર" નાં જેવા ખિતાબો નાબૂદ કરાયા )


✅✅સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 19 થી 22)✅✅


👉અનુચ્છેદ 19 : જે અંતર્ગત બંધારણમાં કુલ 6 પ્રકારની સ્વતંત્રતા આપવામા આવી છે.


1. જાહેર સ્થળએ શસ્ત્રો વગર એકઠા થવાનો અધિકાર (સ્વતંત્રતા).


2. સંગઠનો સ્થાપવાની સ્વતંત્રતા (કો-ઑપરેટીવ, બિન સરકારી સંગઠનો).


3. ભારતમાં કોઈ પણ સ્થળે મુક્તપણે ફરવાની સ્વતંત્રતા.

4. ભારતમાં જમ્મુ-કશ્મિર સિવાય કોઈ પણ સ્થળે સ્થાયી થવાની સ્વતંત્રતા.

5. વાણી અને મુક્તપણે વિચારવાની સ્વતંત્રતા.

6. ભારતમાં જમ્મુ-કશ્મિર સિવાય કોઈ પણ સ્થળે કામ (Business) કરવાની સ્વતંત્રતા.


👉અનુચ્છેદ 20 : જે મુજબ કોઈ પણ વ્યક્તિ ને ગંભીર ગુના (બળાત્કાર/ખૂન) અને બંધારણના ભંગ જેવા ગુના સિવાય ધરપકડમાંથી જમાનત મેળવવાનો અધિકાર. જેમા દર્શાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિને એક જ ગુનામાં એક કરતા વધારે વાર સજા ન થઈ શકે.


👉અનુચ્છેદ 21 : વ્યક્તિગત સ્વતંત્રતા અને સ્વતંત્ર રીતે જીવન જીવવાનો અધિકાર.


👉અનુચ્છેદ 21 (A) : શિક્ષણનો અધિકાર – 6 થી 14 વર્ષના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણનો અધિકાર


👉અનુચ્છેદ 22 : અમુક કાનૂની કેસો મા ધરપકડ કે અટકાયત વિરોધી સ્વતંત્રતા.


શોષણ વિરોધી અધિકાર (અનુચ્છેદ 23-24)


મનુષ્ય વ્યાપાર અને બળજબરીપૂર્વકની મજૂરી પર પ્રતિબંધ


બાળ મજૂરી પર પ્રતિબંધ


🎯🎯ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 25-28)🎯


👉અંતઃકરણપૂર્વક ધર્મની માન્યતા,

 👉આચરણ અને પ્રચાર કરવાની માન્યતા

👉ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની માન્યતા

👉ધર્મની ઉન્નતિ માટે કરસંબંધી રક્ષણ

👉ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેની સ્વતંત્રતા


🔰સાંસ્કૃતીક અને શૈક્ષણિક અધિકારો (અનુચ્છેદ 29-30)🔰


♦️લઘુમતીઓના હિતોનું રક્ષણ

♦️લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર


🇮🇳🇮🇳બંધારણીય સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 32)🇮🇳


✅બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus)

✅પરમાદેશ

✅પ્રતિષેધ

✅ઉત્પ્રેષણ

✅અધિકાર પૃચ્છા